અગત્યની નોંધ :
સાધકો શિબિરમાં જ્યારે આવે ત્યારે ફરજિયાત આધાર કાર્ડ લઈને આવવું.
આ શિબિર મૌન ધ્યાન શિબિર છે. આથી સાધકે, શિબિરના દિવસો દરમ્યાન સ્વૈચ્છિક રીતે શિસ્તમાં રહી પૂર્ણ મૌન અવસ્થામાં રહેવું. ઘણો આધ્યાત્મિક લાભ થશે. મન શાંત રહેશે. નિરર્થક કોલાહલથી બચી જવાશે અને આંતરિક શક્તિનું સરંક્ષણ થશે.
શિબિરના નિયમો જણાવવામાં આવશે અને આપ સર્વે શિબિરાર્થીઓએ તે નિયમોનું નિષ્ઠાથી પાલન કરવાનું રહેશે.
સત્સંગ – શરૂઆતના ત્રણ દિવસ જ રાખવામાં આવશે. ત્યાર પછીના દિવસોમાં મૌન એકાંત કુટિરમાં / ધ્યાન પિરામિડ
શિબિરની સમય અને વ્યવસ્થા અંગે
શિબિરના પ્રારંભના દિનથી આગળના દિવસે સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં પ્રેરણાપીઠમાં તીર્થધામ સાધકોએ પહોંચી જવું અને શિબિરાર્થી તરીકે કાર્યાલયમાં નામ રજીસ્ટર કરાવવું.
શિબિર પૂર્ણાહુતિના પછીના દિવસે બપોરે ૧.૦૦ કલાકે સાધકે પ્રસ્થાન કરવાનું રહેશે.
શારીરિક કે માનસિક અસ્વસ્થતા હોય તેવા સાધકો શિબિરમાં ભાગ લઈ શકશે નહીં.
ઋતુને અનુકૂળ કપડાં લાવવાં, શાલ, ટુવાલ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, જરૂરી દવાઓ, સાધના માટે આસન માટે ઉનનું આસન, માળા વગેરે.
શિબિરનો ખર્ચ દાનના આધારે જ ચાલે છે. તમારા આગળના શિબિરાર્થીઓના દાન ભેટથી આપ આ શિબિરનો લાભ લઈ રહ્યા છો અને આપના દાન-ભેટ થી આગામી શિબિરાર્થીઓ લાભ લેશે.
મોબાઈલ ફોન, તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ શિબિરના દિવસો દરમ્યાન સાધક કરી શકશે નહીં. સાથે લાવ્યા હો તો તે શિબિર વ્યવસ્થાપકો પાસે જમા કરાવવાનું રહેશે. શિબિર પૂર્ણ થયા બાદ પરત આપવામાં આવશે.
શિબિરની સમય સારીણી
| 4.00 થી 5.00 | જાગરણ – નિત્યક્રમ |
| 5.00 થી 5.15 | વિશ્વ શક્તિની ઉર્જા મેળવવાનો પ્રયોગ |
| 5.15 થી 6.15 | *સત્સંગ / ધ્યાન પિરામિડ |
| 6.15 થી 7.00 | સમૂહ ધ્યાન – પિરામિડ હૉલ |
| 7.00 થી 7.45 | ચા – દૂધ – નાસ્તો |
| 7.45 થી 9.00 | *સત્સંગ / ધ્યાન પિરામિડ |
| 9.00 થી 9.15 | રિશેષ |
| 9.15 થી 10.15 | *સત્સંગ / ધ્યાન પિરામિડ |
| 10.15 થી 11.30 | સમૂહ ધ્યાન – પિરામિડ હૉલ |
| 11.30 થી 2.00 | ભોજન તથા વિશ્રાંતિ |
| 2.00 થી 2.30 | ચા-દૂધ-કોફી |
| 2.30 થી 3.30 | *સત્સંગ / ધ્યાન પિરામિડ |
| 3.30 થી 3.45 | રિશેષ |
| 3.45 થી 5.00 | ધ્યાન – પિરામિડ હૉલ |
| 5.00 થી 7.00 | સાંજનું ભોજન, સ્નાન સંધ્યા જપ વગેરે |
| 7.00 થી 8.00 | ધ્યાન કુટિર / પિરામિડ |
| 8.00 થી 9.00 | *સત્સંગ પિરામિડ હૉલ – ઓડિયો |
| 9.00 થી …. | યોગ નિંદ્રા |